www.bsnlnewsbyashokhindocha.blogspot.com
M-9426201999
www.rajkotsamachar.com
Breaking News પૈસા આપી સૌરાષ્ટ્રમાં ૫૦૦૦ કન્યાઓ લવાઈ છે : રાદડિયા | યુનિક આઈડેન્ટિટિ નંબરને મોબાઈલ નંબર બનાવવા સૂચન | કેન્દ્રના ૧૭ ભૂતપૂર્વ પ્રધાનોએ સરકારી બંગલાપચાવી પાડયા છે | ડાયાબિટીસમાં સામાન્ય ઉપયોગની દવા હૃદય માટે જોખમી | લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સે બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારને આમંત્રણ આપ્યું |
ડાયાબિટીસમાં સામાન્ય ઉપયોગની દવા હૃદય માટે જોખમી
નવી દિલ્હી, તા. ૨૧
ડાયાબિટીસની સારવાર કે તેને અંકુશમાં લેવા માટે વપરાતી સામાન્ય દવાને કારણે લોકોમાં અન્ય દવાના પ્રમાણમાં હૃદયરોગનું જોખમ વધી જાય છે તેમ તાજેતરના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.
એક વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવેલા આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ડાયાબિટીસમાં સામાન્ય રીતે ઉપયોગમાં આવતી રોસિગ્લિટેઝોનને કારણે વૃદ્ધ દરદીઓમાં હાર્ટએટેકનું જોખમ પિઓગ્લિટેઝોનની સરખામણીએ વધુ હોય છે.
કેનેડામાં કરવામાં આવેલા અભ્યાસનું રસપ્રદ તારણ
આ બન્ને દવાઓ થિઆઝોલિડાઇનેડિઓન્સ નામની દવાઓના ક્લાસ સાથે સંકળાયેલી છે અને તે ટાઇપ ૨ના ડાયાબિટીસની સારવાર માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે. તેઓ બ્લડ સુગરના લેવલને અંકુશમાં રાખે છે. પરંતુ બન્ને દવાઓને વજનમાં વધારા, પેશાબમાં અવરોધ અને હાર્ટએટેક જેવી સાઇડઇફેક્ટ્સ ઊભા કરી શકે છે.
જોકે એ સ્પષ્ટ નથી કે હૃદયની સલામતીની દૃષ્ટિએ તબીબી રીતે આ દવાઓમાં મહત્ત્વના શું ફેરફારો છે ? આથી, કેનેડાના સંશોધનકારોએ હાર્ટ એટેકનું જોખમ, હાર્ટ એટેક અને આ બન્ને દવાઓની સારવાર મેળવતાં દરદીઓમાં મોતનું પ્રમાણ જેવી બાબતોને સરખાવી હતી.
પ્રિસ્ક્રિપ્શન રેકોર્ડ્સની મદદથી સંશોધકોએ એપ્રિલ ૨૦૦૨ અને માર્ચ ૨૦૦૮ દરમિયાન રોસિગ્લિટેઝોન કે પિઓગ્લિટેઝોન સાથે સારવાર શરૂ કરનાર ૬૬ વર્ષ અને તેથી વધુ વયના દરદીઓને અલગ તારવ્યા હતા. આ છ વર્ષના ગાળામાં હાર્ટએટેકના કિસ્સામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દરદીઓની સંખ્યા પણ નોંધવામાં આવી હતી. રાષ્ટ્રીય ડેટાબેઝમાંથી મૃત્યાંક પણ મેળવવામાં આવ્યા હતા.
સંશોધકોએ અંદાજ મૂક્યો હતો કે રોસિગ્લિટેઝોનથી સારવાર મેળવતાં દર ૯૩ દરદીઓમાં પિઓગ્લિટેઝોનની સરખામણીએ દર વર્ષે હૃદયની બીમારીની ઘટના કે તેનાથી મોતનો આંકડો એક જેટલો વધુ હોઇ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે, અમારાં તારણોમાં રોસિગ્લિટેઝોન અને પિઓગ્લિટેઝોનના ર્કાિડયોવેસ્કુયલર સેફ્ટી પ્રોફાઇલ્સમાં ક્લિનિકલી મહત્ત્વપૂર્ણ ફેરફારો હોવાનું જાણવા મળ્યું છે. આ ફેરફારો અમે ક્લિનિકલ (તબીબી) ચકાસણીમાં શોધી કાઢયા હતા.
તેમના તારણમાં જણાવવામાં આવ્યું હતું કે, રોસિગ્લિટેઝોનની સારવારમાં નુકસાન અને પિઓગ્લિટેઝોનની સરખામણીએ તેમાં ક્લિનિકલ લાભનો અભાવ જોતાં આ બાબત સવાલ ઊભો થાય છે કે તેનો હાલમાં થઇ રહેલો વ્યાપક ઉપયોગ કેટલો વાજબી છે.
■ અડવાણીએ જ વાજપેયીને મોદી વિરૂદ્ધ કાર્યવાહી કરતા રોક્યા હતા : જસવંત સિંહ
■ વસુંધરા રાજીનામા અંગે મુદ્ત માંગવા દિલ્હી પહોંચ્યા
■ કોંગ્રેસે ફિરોઝાબાદ સીટ પરથી રાજ બબ્બરને મેદાનમાં ઉતાર્યા
■ પૂણે અને ગોવામાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ બેના મોત
■ ‘વિઠ્ઠલ રાદડિયાના કુટુંબમાં મેં આ દીકરી આપી છે’
■ ઇમરાન ખાન ડ્રગ્સનું સ્મગલિંગ કરતો હતો : કાસિમ
■ "મને જાહેરમાં ચાબુકથી ફટકારો જેથી દારૂ પીનારાઓને બોધપાઠ મળે"
■ શાહરુખ અમેરિકામાં ભીંસમાં મૂકાય તેમ હોવાથી તપાસનો મુદ્દો ચગાવ્યો
More News
■ શ્વેત ખોરાકથી રોગપ્રતિકાર શક્તિ ઘટી જાય
■ મેજર જસવંત સિંહે પીતાં પીતાં પુસ્તક ઢસડી નાંખ્યું
■ ડાયાબિટીસમાં સામાન્ય ઉપયોગની દવા હૃદય માટે જોખમી
■ શાહરુખ અમેરિકામાં ભીંસમાં મૂકાય તેમ હોવાથી તપાસનો મુદ્દો ચગાવ્યો
More News
■ જસવંત સિંહને પાર્ટીમાંથી કાઢી મુકવા જરૂરી હતા : સુષ્મા સ્વરાજ
■ જસવંત સિંહના પુસ્તક પર દેશવ્યાપી પ્રતિબંધ મુકવામાં આવે
■ મેજર જસવંત સિંહે પીતાં પીતાં પુસ્તક ઢસડી નાંખ્યું
■ વિદેશમાં ભારતીયોને મુશ્કેલીમાં મદદ માટે વિશેષ ફંડ
■ ગુજરાતનું પ્રાચીન જોવાલાયક શહેર વાંકાનેર
■ ખરેખર સફળ થવું છે તો નો શોર્ટકટ !
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
M-9426201999
Saturday, August 22, 2009
Subscribe to:
Post Comments (Atom)


0 comments:
Post a Comment